નાનુભાઈ શિક્ષણની ચિંતા કરે હાર્દિક કે પાટીદારની નહીં : મહેશ રાજકોટિયા

- text


હાર્દિકને 14 પાટીદારના હત્યારા ગણાવનાર રાજ્યના શિક્ષણમંત્રીને આડે હાથ લેતા ટંકારાના યુવા નેતા

ટંકારા : હાર્દિક પટેલ 14 પાટીદારોનો હત્યારો હોવાનો રાજ્યના પ્રાથમિક શિક્ષણ પ્રધાન નાનુ વાનાણીએ કરેલા આક્ષેપ સામે પાટીદાર આગેવાન અને કોગેસ ના નેતા મહેશ રાજકોટીયા લાલઘૂમ થઈ ગયા હતા અને કહ્યું કે 14 નિર્દોષ પાટીદાર યુવાનોની ભાજપ સરકારના ઇશારે પોલીસની ગોળીથી હત્યા કરવામાં આવી છે. હાર્દિકના કહેવાથી નહીં. તો પછી 14 નિર્દોષ પાટીદાર યુવાનના હત્યારા કોણ ગણાય?
મોરબી જીલા પંચાયત ના સદસ્ય મહેશ રાજકોટીયા એ રાજ્યમાં શિક્ષણનું સ્તર ઘટ્યું છે. ફીના મામલે કમિટી બનાવ્યા પછી પરિણામ શૂન્ય છે. તેવા સંજોગોમાં ચાર ચોપડી ભણેલા શિક્ષણ મંત્રી નાનુ વાનાણીએ શિક્ષણની ચિંતા કરવાની જરૂર છે. પાટીદારોની કે હાર્દિકની નહીં…
નાનુ વાનાણીને પડકાર ફેંકતા મહેશ રાજકોટીયાએ કહ્યું કે અગાઉ કેશુભાઈ પટેલ ફરી વાર મુખ્યમંત્રી ના બંને એ માટે કેટલા પ્રયતનો કરેલા એ વાત ના ભૂલો સમાજ વિરોધી કાયો કરવા ટેવાયેલા છો અને જો નાનુ વાનાણીમાં હિંમત હોય તો તેમના મત વિસ્તાર મા કે અન્ય જગ્યા એ એક સભા તો કરી જુએ. આવા એલફેલ નિવેદનો પણ તેઓ ગાંધીનગર બેઠા બેઠા આપે છે. તાકાત હોય તો જાહેર સભા મા આવી બોલી બતાવો પછી જુઓ કેટલી વીસે સો થાય છે બાકી મો સંભાળી ને વાત કરતા જાવ જે સમાજ મા જનમ્યા છો એ સમાજ નું ગૌરવ હોવુ જોઈ તે વાત યાદ રાખવું જોઈએ એવી આડકતરી ટકોર કરી હતી.

- text

- text