હળવદમાં પર્યુષણ પર્વ નિમિતે તપસ્વીઓની શોભાયાત્રા યોજાઇ

- text


હળવદ : હળવદમાં જૈન શ્વેતામ્બરમૂર્તિ પૂજક સંઘ દ્વારા પર્યુષણ પર્વ નિમિતે મહાવીર સ્વામી તથા તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રામાં જૈન દેરાસરથી શરૂ કરીને રેલ્વે સ્ટેશન રોડ સુધી કાઢવામાં આવી હતી. જેમાં એક માસની તપસ્યા તેમજ અન્ય તપસ્યાઓ કરી હોય તેવા તપસ્વીઓ જોડાયા હતા. તેમજ આ શોભાયાત્રામાં જૈન સંઘના મહેન્દ્રભાઇ શાહ, નીલયભાઇ મહેતા, દેવકરણભાઇ શેઠ, વિપુલભાઇ શાહ, સંદિપભાઇ શેઠ, બકાભાઇ કોઠારી તથા સંઘના યુવાઓએ આ શોભાયાત્રા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં સંઘના જમણનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.

 

- text