આવતીકાલે વાંકાનેર તાલુકાના ત્રણ ૬૬ કે.વી.સબસ્ટેશનોનું લોકાર્પણ

- text


કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયાના હસ્તે જાલીડા ગામે કાર્યક્રમ

મોરબી : આવતીકાલે વાંકાનેર તાલુકાના ત્રણ ૬૬ કે.વી.સબસ્ટેશનોનું રાજ્યના કેબીનેટમંત્રી ચીમનભાઈ સાપરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં જાલીડા,પંચાસર અને લાકકડધાર ખાતે ત્રણ નવા ૬૬ કે.વી.સબસ્ટેશન નિર્માણ કરાય છે જેનું આવતીકાલે રાજ્યના કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
વધુમાં ત્રણેય ૬૬ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ આવતીકાલે સવારે ૯ કલાકે વાંકાનેરના જાલીડા ખાતે થશે,આ તકે સાંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા સહિતના આમંત્રિત મહેમાનો હાજર રહેનાર હોવાનું અધિક્ષક ઈજનેર એન.એન.ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

- text

- text