માત્ર પાણી પી શ્રાવણ માસમાં અનોખી શિવ આરાધાના કરતો મોરબીનો યુવાન

- text


મોરબી જલારામ મંદિરના કાર્યકર રવિભાઈ છેલ્લા ત્રણ વર્ષથી કરે છે નકોરડા ઉપવાસ

મોરબી:પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તિનો વિશેષ મહિમા છે ત્યારે જલારામ સેવા મંડળના માત્ર ૧૯ વર્ષના કાર્યકર રવિભાઈ છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર શ્રાવણ માસમાં માત્ર પાણી પી અનોખી શિવભક્તિ કરી રહ્યા છે.
મોરબી જલારામ સેવા મંડળના કાર્યકર રવિભાઈ ચતવાણી છેલ્લા ત્રણ વર્ષથી અનોખી શિવ આરાધના કરી રહ્યા છે આખા શ્રાવણ માસમાં તેઓ કોઈપણ જાતનું ભોજન લેતા નથી અને માત્ર ને માત્ર પાણી પી આખો શ્રાવણ માસ નકોરડા ઉપવાસ કરે છે.
આજના યુવાનો માટે રવિભાઈ પ્રેરણાદાયી ભક્તિભાવ કરી રહ્યા છે તેમની શિવ આરાધનાથી પ્રભાવિત થઈ જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી,હરીશભાઈ રાજા,રાજુભાઇ ગણાત્રા,નિર્મિત કક્કડ અને ચિરાગ વોરા સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા છે.

- text

- text