નિરાધારોને ભોજન કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીના પાશ્વ પદ્માવતી ટ્રસ્ટના હિતેશભાઈ ખોખાણીએ પોતાના જન્મ દિવસે નિરાધારોને સ્વ હસ્તે ભોજન કરાવી અનોખી ઉજવણી કરી હતી.
અત્રેના જલારામ મંદિર ખાતે ગઈકાલે પાશ્વ પદ્માવતી ટ્રસ્ટના હિતેશભાઈ ખોખણીએ નિરાધાર ગરીબ લોકોને જાંબુ,ખમણ ઢોકળા,ચોરી,દાળ-ભાત,પુરી સહિતનું ભોજન પોતાના હાથે પીરસી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીયછે કે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં દરરોજ 300થી વધુ નિરાધાર લોકો ભોજન પ્રસાદનો લાભ લઇ રહ્યા છે ત્યારે હિતેશભાઈ જેવા શહેરીજનો દ્વારા જન્મદિવસ નિમિત્તે નિરાધાર લોકોને ભોજન પ્રસાદ કરાવવામાં આવતા જલારામ મંદિરના હરીશભાઈ રાજા,ગીરીશભાઈ ઘેલાણી,રાજુભાઇ ગણાત્રા,વિપુલ પંડિત,ચિરાગ રાચ્છ અને હરિલાલ દસાડીયા સાહિતનાઓએ તેમની સેવા પ્રવૃત્તિને બિરદાવી હોવાનું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text