મોરબીના સતનામપાર્કમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

- text


મોરબી:મોરબીના નેની વાવડી રોડ પર સતનામ પાર્ક ૨ માં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના દાગીના અને 10 હજારની રોકડનો હાથ ફેરો કરી જતા સોસાયટીના રહેવાસીઓમાં ફફડાટ મચી ગયો છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડીમાં કબીરવાડી નજીક આવેલ સતનામ પાર્ક-૨ માં જીતેશભાઈ મનસુખભાઇ વ્યાસના મકાનને નિશાન બનાવી તસ્કરો નકુચા તોડી ઘરમાં રહેલ પેડલ સેટ,રુદ્રાક્ષ ઓમકાર,ચાંદીની ૨ લક્કી,ચાંદીના સાકળા,સોનાના દાણા,બેગ અને રૂપિયા 10 હજાર સહિતનો મુદામાલ ચોરી જતા સોસાયટીના રહેવાસીઓ ચોકી ઉઠ્યા છે.
આ મામલે મકાન માલિક જીતેશભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી છે પરંતું હજુ સુધી ઘટના સ્થળે પોલીસ પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે.

- text