ગુજરાત કોંગ્રેસમાંથી ગદારો આઉટ : રમેશભાઈ રબારી

- text


મોરબી : રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીત થવાથી ઠેર ઠેર કોંગ્રેસની જીતની ઉજવણી થઇ રહી છે. ત્યારે ગુજરાતપ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપ પ્રમુખ રમેશભાઈ બી. રબારીએ જણાવ્યું હતું કે. અત્યાર સુધી કોંગ્રેસમાં ગદારો હોવાથી જનહિતના કાર્યોમાં અડચણ આવતા હતા જે માત્ર કોંગ્રેસી બનવાનું નાટક કરતા હતા. કોઈ જનહિતના કર્યો કરતા ન હતા. જેથી અસલ કોંગ્રેસના નામે કોઈ કામો થતા ન હોવાથી રાજ્યસભાની ચૂંટણીના સમયમાં કોણ અસલ કોંગ્રેસી છે અને કોણ કોંગ્રેસી હોવનો માત્ર દાવો કરે છે તે સત્ય સામે આવી ગયું છે. તેથી જ તાજેતરમાં અહેમદ પટેલની જીતથી કોંગ્રેસમાંથી ગદ્દારોનો સફાયો થયો છે. અને હવે અસલ કોંગ્રેસના નેતાઓ કોઈ પણ અડચણો વિના પ્રજાના હિતના કાર્યો કરશે.

- text

 

- text