- text
મોરબી : વિકસિત મોરબી શહેરમાં દિવસે-દિવસે શહેરી વિસ્તાર વધી રહ્યો હોવાથી લોકોની સુવિધા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કેનાલરોડ અને ઉમિયા સર્કલ વિસ્તારના રહેવાસીઓ માટે એસટી બસ સ્ટોપ મંજુર કરાવ્યો છે.
- text
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં શનાળા રોડ પર ઉમિયા સર્કલની આસપાસનો વિસ્તાર ખૂબ વિકાસ પામ્યો છે.અને રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ અપ ડાઉન કરનારાઓની સંખ્યા ખૂબ મોટી છે જેથી બધા રહેવાસીઓ માટે નવા બસ સ્ટેન્ડ દૂર પડતું હોઈ ઉમિયા સર્કલ કેનાલ ચોકડી પાસે આવતી જતી બસો માટે વિનંતી સ્ટોપની માગણી કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બાબતે પત્ર વ્યવહાર કરતા એસ. ટી. વિભાગે તા.૪ ઓગષ્ટના રોજ વિનંતી સ્ટોપ મંજુર કરવામાં આવેલ છે.
- text