મોરબીમાં ત્રણ સ્થળે લોકમેળા યોજાશે

- text


પાલિકા દ્વારા શક્ત શનાળા પાસે અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કામધેનુ પાર્ટીપ્લોટમાં મેળાનું આયોજન

મોરબી : જન્માષ્ટમી પર્વે મોરબીમાં અલગ અલગ ત્રણ સ્થળોએ લોકમેળાના આયોજન થનાર છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી ખાતે જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને નગરપાલિકા દ્વારા સક્ત સનાળા ખાતે તા.13 થી 17 ઓગષ્ટ પાંચ દિવસીય લોકમેળો યોજવામાં આવશે,આ ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કામધેનુ પાર્ટી પ્લોટ ખાતે જાહેર લોકમેળો યોજવામાં આવનાર છે જેમાં વિવિધ આધુનિક રાઈડ્સ ફજેત ફાળકા સહિતના આકર્ષણો સહેલાણીઓ માટે આકર્ષણના કેન્દ્ર બનશે. આ ઉપરાંત સનાળા ગામ પાસે શિવ જન્માષ્ટમી ખાનગી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત હજુ એક લોકો મેળો આવે તેવી શક્યતા છે.

- text

 

- text