ટંકારા : તલાવડામાં 3 બાળકોના ડૂબી જવાથી મોત : અરેરાટી

- text


મફતિયાપરા મા રહેતા સરણીયા પરીવાર ના સગા ભાઈ અને બહેન સહીત 3 ના મોત

ટંકારા : બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા ના છેવાડાના વિસ્તારમાં કલ્યાણ રોડ પર આવેલા મફતિયાપરા વિસ્તારમાં રહેતા અને સાવેણી સુડલા બનાવાનુ કામ કરતા સરણીયા પરીવાર ના વહાલસોયી દિકરી ભાવના સલીમભાઈ ઉ. વ 14.લાલો બેચરભાઈ ઉ. વ 11 અને તેનો નાનો ભાઈ જગા બેચરભાઈ ઉ. વ 8 રહેણાંક મકાન ની પાછળ આવેલ તલાવડા મા નાવા ગયા હતા અને પાણી મા ગરકાવ થઈ જતા મોત નિપજ્યું હતું બનાવ ની જાણ 108 ને થતા પાઈલોટ સલીમ ભુગર તાત્કાલિક દોડી ગયા હતા પરંતુ રક્ષાબંધન ના દિવસે રક્ષા કરનાર બહેન કે ભાઈ ને બચાવી શકાય ન હતા. સરણીયા પરીવાર પર આભ ફાટયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ટંકારા પોલીસ તાત્કાલિક દોડી ગયા હતા.

- text

- text