મોરબી : લાયન્સનગરમાં સ્ટ્રીટલાઈટ બંધ, ગંદકી યથાવત

- text


સમસ્યા હલ ન થાય તો આંદોલનની ચીમકી

મોરબી : મોરબીના લાયન્સનગર વિસ્તારમાં સ્ટ્રીટલાઈટો બંધ થવાની સાથે ગંદકીની સમસ્યા યથાવત રહેતા જાગૃત નાગરિક દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં લાયન્સનગર વિસ્તારમાં ગંદકી અને ગટર ઉભરાવા મામલે અનેકાનેક ફરિયાદ છતાં પાલિકા દ્વારા પગલાં લેવાયા નથી ત્યારે હવે સ્ટ્રીટ લાઈટો પણ બંધ થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વધુમાં આ મામલે આ વિસ્તારના જાગૃત નાગરિક અબ્દુલભાઇ બુખારી દ્વારા જો સમયસર લોક ફરિયાદ દૂર ન થાય તો આંદોલન ની ચીમકી આપી છે. આ સંજોગોમાં હોવી પાલિકા તંત્ર ગંદકી સ્ટ્રીટલાઈટની ફરિયાદ દૂર કરે છે કે કેમ તે જોવું રહ્યું.

- text

- text