મોરબી જિલ્લામાં ડૂબી જવાથી વધુ બે ના મોત

- text


મોરબી-વાંકાનેર હાઇવે પર શક્તિ ચેમ્બર નજીક ખાડામાં ડૂબી જતાં યુવાનનું અને આમરણમા ભરવાડ કિશોરનું વોકળામાં ડૂબી જતાં મોત

- text

મોરબી :મોરબી જિલ્લામાં આજે યમરાજે પાણીમાં મુકામ કર્યો હોય એમ ટંકારામાં ત્રણ બાળકોના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યા બાદ મોરબી વાંકાનેર હાઇવે પર પાણીના ખાડામાં ડૂબી જવાથી અને આમરણમાં ભરવાડ કિશોરનું વોકળામાં ડૂબી જતાં મૃત્યુ નિપજતા કુલ પાંચ લોકોના પાણીમાં ડૂબતા મોત નિપજ્યા હતા.
મોરબી-વાંકાનેર હાઈવે પરના શક્તિ ચેમ્બર નજીકમાં પાણીના ખાડામાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા બી ડીવીઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. જોકે મૃતક યુવાનની ઓળખ થઇ સકી ના હતી. મૃતક યુવાન રખડતો ભટકતો ૨૫ વર્ષનો યુવાન હોવાનું જાણવા મળ્યું હતું જેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. તેમજ મૃતક યુવાન માનસિક અસ્થિર હોવાનું પણ પોલીસને સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું. બી ડીવીઝન પોલીસે યુવાનના મૃતદેહને પી.એમ.માટે હોસ્પીટલે ખસેડી તેની ઓળખ મેળવવા વધુ તપાસ આદરી છે.
જયારે બીજા બનાવામાં મોરબીના આમરણ(જી) પાસે પાણીના વોંકડામાં ડુબી જવાથી ખીમાભાઈ બાબુભાઇ ભરવાડ(ઉ.૧૩)નું મોત થયું છે.

- text