માળીયામાં અનુ.જાતિ કન્યા છાત્રાલયને પુરમાં વ્યાપક નુકશાન

- text


માળીયાના અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયની મુલાકાત લેતા દલિત સમાજના આગેવાનો

- text

મોરબી : મોરબી જિલ્લા ના માળીયા તાલુકા માં આવેલ જળ પ્રલય ના લીધે મોરબી જિલ્લા ની એક માત્ર અનુસુચિત જાતી ની કન્યા છાત્રાલયને ખુબજ મોટું નુકસાન થયું હોવા છતાં તંત્ર કે સમાજ દ્વારા છત્રાલયને મદદ ન મળી હોવાનું દલિત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.
આજે મોરબી જિલ્લા દલિત સમાજ યુવા શિક્ષણ સમિતિ ના મિત્રો દ્વારા આ કન્યા છાત્રાલયની મુલાકાત લેવા માં આવેલ અને સૂકા નાસ્તા નું વિતરણ કરેલ તેમજ શક્ય તેટલી મદદ કરવા નું ત્યાંના સંચાલક વશરામ ભાઈ ને આશ્વાસન આપ્યુ હતું. અગ્રણીઓએ જણાવ્યું હતું કે કુદરત ના આ પ્રકોપ ને લગભગ ૨૦ દિવસ થયા છતાં તંત્ર તેમજ સમાજ ની  કોઈ પણ જાત ની મદદ આ કન્યા છાત્રાલય ને હજુ સુધી મળેલ નથી ત્યારે સમાજના અન્ય આગેવાનોને પણ છાત્રાલયની મુલાકાત લેવા અપીલ કરી હતી.

- text