રાહુલ ગાંધીને ભાજપે નહિ પૂર પીડિતોએ પથ્થર માર્યા : અંદરપા

- text


કોંગ્રેસના મહેશ રાજકોટિયાના નિવેદન બાદ ભાજપ ના કિરીટ અંદરપા નો જવાબ

ટંકારા : બનાસકાંઠામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી પર થયેલા હુમલા બાદ જિલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્યએ આપેલા આકરા નિવેદનના જવાબ માં ભાજપના કિરીટ અંદરપાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને ભાજપે નહીં પુરપીડિતોએ પથ્થર માર્યા છે માટે કોંગ્રેસ ખોટા આરોપો ન લગાવે.
કોગેસ ના મહેશ રાજકોટીયા ની ચિમકી નો જવાબ આપતા ભાજપના કિરીટ અંદરપા એ જણાવ્યું હતું કે આ કોગેસ લોકોને ઉશ્કેરણી કરી રાજકીય રોટલો શેકવાનું બંધ કરે અને તમારા ધારાસભ્ય સેવા કરવા ની બદલે રિસોર્ટ મા મોજ કરે ત્યારે ભાજપ ના નેતા અને કાર્યકરો પિડીતો સાથે હતા જ્યારે બધુ નોર્મલ થયુ છે ત્યારે રાહુલ ગાંધી ફોટોગ્રાફી કરવા ગુજરાત આવે તો પિડીતો નો મગજ છટકે જે માટે આ દોસ નો ટોપલો ભાજપ પર નાખવા ને બદલે જીલ્લા પંચાયત મા બિન ખેતી માટે થતો ભ્રષ્ટાચાર બંધ કરાવે અને ઉધરાણા ન થતા હોય તો ચેલેન્જ આપે કા રાજીનામું આપે નો શાબ્દિક માંરો ચલાવ્યો હતો

- text

]

- text