સાહેબ આવું હશે અમારું સીરામીક એક્સ્પો : વડાપ્રધાનને મળતા સીરામીક એસોના અગ્રણીઓ

- text


વાયબ્રન્ટ સીરામીક એક્સપોના આયોજન અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળતા સીરામીક એસો.આગેવાનો : ઉદ્દઘાટન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાયું 

મોરબી : આગામી નવેમ્બર માસમાં યોજાનાર વાયબ્રન્ટ સીરામીક એક્સપો-2017 ના આયોજન અંગે આજે મોરબી સીરામીક એસો.ના આગેવાનો વડાપ્રધાન મોદીને મળ્યા હતા.
નવેમ્બર માસમાં યોજાનાર સીરામીક એક્સ્પો અંગે આજે વૈશ્વિક મીડિયાને માહિતગાર કરવા સીરામીક એસોસિએશન પ્રમુખ કે.જી કુંડારીયા નિલેશભાઈ જેતપરિયા સહિતના આગેવાનોએ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનની ઉપસ્થિતિમાં આયોજન અંગેની વિગતો રજૂ કરી હતી.
બાદમાં સીરામીક એસોસિએશનની ટીમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળી હતી અને આયોજન અંગેની તમામ જાણકારી આપી હતી.
તેમજ વાયબરન્ટ સિરામીક એક્સપો – સમીટ -૨૦૧૭ ના ઉદ્દઘાટન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા માટે મોરબી સિરામીક એસોસીએસન ના પ્રમુખ કે.જી.કુંડારીયા તેમજ નિલેષ જેતપરીયા અને ઓકટાગોન ના સંદીપભાઇ પટેલ તેમજ વિશાલ આચાર્ય વગેરેએ રૂબરૂ મુલાકાત કરી અને આ એકસીબીસન ની માહીતી પણ આપી અને મોદી સાહેબ દ્વારા સીરામીક એસો.ના આમંત્રણ ને સ્વીકારી અને આવવા માટે ની તૈયારી દર્શાવી હોવાનું સીરામીક એસો.દ્વારા જણાવાયું છે.

- text

- text