થાય તે કરી લ્યો : બંધુનગર પાસે ફરીથી ખુલ્લા માં છોડાયું કોલગેસ નું પ્રદુષિત પાણી

- text


મોરબી : મોરબીના બંધુનગર ગામ પાસે થોડા દિવસો પેહલા સીરામીક કંપનીઓ દ્વારા જાહેરમાં કોલગેસ નું પ્રદુષિત પાણી છોડાયું હતું. આ બાબતે બંધુનગર ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં કલેક્ટર અને પોલ્યુશન બોર્ડને ફરિયાદ કરી હતી. પરંતુ મોરબીના અમુક સીરામીક ફેક્ટરીવાળા હેમ નહિ સુધરેગે..થાય તે કરી લ્યો તેવી ચેલેન્જ ફેંકતા હોય તેમ આજે ફરીથી બંધુનગર પાસે સીરામીકની કંપનીઓ દ્વારા જાહેરમાં ખુલ્લા માં કોલગેસ નું પ્રદુષિત પાણી છોડવામાં આવ્યું છે. સીરામીક કંપનીઓની આ આરોગ્યને હાનિકારક પ્રવૃત્તિથી ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. ત્યારે આ મામલે તંત્રની સાથે સીરામીક એસોશિયેશન પણ આગળ આવી આવી બેજવાબદાર કંપની સામે પગલાં ભારે તેવી માંગ ઉઠી રહી છે.

- text