ટંકારા : સિધ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા અરવિંદ બારૈયાની આગેવાનીમાં રોડ પરના ખાડા બુરવાની કામગીરી શરૂ

- text


ટંકારા : ટંકારા શહેર માંથી પસાર થતો રાજય ધોરીમાર્ગ ઘણા લાંબા સમયથી તુટી પડયા ની અને હાઇવે ઉપર બંને સાઇડ મા માટી ના જામી ને ખડકાયેલા ગંજ અંગે નિંભર તંત્ર હાઇવે રીપેર કરવા નુ તો ઠીક પરંતુ કોઇની ફરિયાદ પણ સાંભળતું નથી , ત્યારે મેધરાજા નિ ધમાકેદાર એન્ટ્રી એ તંત્ર ના ભસ્ટાચાર ના પોપડા ઉખેડી ગોઠણ સમા ખાડા થયા તોપણ તંત્ર આ બાબતે રીપેરીંગ કામ માટે ડોકાયુ નથી ત્યારે સિધ્ધિ વિનાયક ગુપ આગળ આવી મરામત ની કામગીરી હાથ ધરી છે રાહદારી આ કામની પ્રસંશા કરી રહ્યા છે

- text

ટંકારા શહેરની મધ્યે થી રાજકોટ, મોરબી અને કચ્છ ને જોડતો રાજય ધોરીમાર્ગ પસાર થાય છે.આ રોડ ને રૂપકડું નામ પણ ગૌરવ પથ આપ્યું હતું આ હાઇવે બન્યા ને પાંચ વષઁથી વધુ સમય વિતી ગયો છે. પરંતુ છેલ્લા બે વષઁથી વધુ સમય થી હાઇવે સંપૂર્ણ તુટી ને મગરની પીઠ જેવો બની ગયો છે. હાઇવેની મરામત અંગે અનેક મુસાફરો અને પ્રજાજનો એ અનેક ફરિયાદો પણ તંત્ર સમક્ષ કરી હતી. પરંતુ જાડી ચામડી ના તંત્રના નિંભરા અને પેધી ગયેલા જવાબદારો ને ફરિયાદો ની કોઇ જ અસર થતી નહોતી. ટંકારા મા સાભેલાની ધારે પડેલા વરસાદે ગૌરવ પથ નુ ગૌરવ હણી ભસ્ટાચાર ના પોપડા ઉખેડી નાખ્યા હતા હાલ રોડ પર મસમોટા ખાડા થિ મુસાફરો ભારે હાલાકી ભોગવવી રહ્યા હતા આખરે પ્રજા એ પણ સરકાર ના આ નિંભર તંત્ર ને વતાવવા નુ માંડી વાળ્યુ હતુ  અંતે, સિઘ્ધી વિનાયક ના અધ્યક્ષ અરવિંદ બારૈયા પ્રતિક આચાર્ય લાલાભાઈ. સંજુબાબા ફિરોઝભાઈ સરપંચ હિરેન પટેલ રાજ પંડયા કોશિક ફેફર કે. કે. આહિર. સહીત ના તમામ મિત્રો આજે જાત મહેનત કરી ખિસ્સા ના પૈસા થી માટી કામ કરી રોડ રિપેરીંગ કામ કરી રહ્યા છે
આ કામ ની પ્રસંશા શહેરમાં તથા રાહદારીઓ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા થી વાહન ચાલકો પરેશાની ભોગવવી રહ્યા હતા તેમા થી રાહત કરી છે. આ રોડ ઉપર કાલે એક વયોવૃદ્ધ મહિલા ધડાકા ભેર પડતા ફેકચર થયુ હતું તો મોટા ટક ના તો ટાયર ફાટી ને અકસ્માત રોજીંદા બન્યા હતા ત્યારે અરવિંદ બારૈયા એ ખરા અર્થમાં જમીની કામગીરી કરી માત્ર પેપર વર્ક કરી આવેદન આપનાર પ્રજા સેવકો ને નવો રાહ ચિધ્યો છે

- text