ટંકારામાં આરએસએસ દ્વારા પુરપીડિતો માટે ફંડ એકત્રિત કરાયુ

- text


ટંકારા : પુરપીડિતો માટે રાહતનીધી જમા કરવા ટંકારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા અભિયાનરૂપે 50 હજાર જેટલી માતબર રકમ કલાકો મા એકત્રિત કરી આ સેવા ના કામમાં સિધ્ધિ વિનાયક ગ્રુપ ના યુવાનો ઉમળકાભેર જોડાયા હતા આ રકમ હવે સેવાભરતી મારફતે પુરપીડિતોને મોકલાશે.

- text

ઉત્તર ગુજરાતના પૂર પીડિતોની મદદ કરવા માટે આજરોજ ટંકારા શહેરના લતીપર ચોકડી સોસાયટી. અને સુપર માર્કેટ સમાન શોપિંગ સેન્ટર સહિતના સ્થળોએ આર. આરએસએસ અને સિધ્ધિ વિનાયક ગ્રુપ રાહત નિધિ એકત્રિત કરવામાં આવી હતી.
વધુમાં આરએસએસ દ્વારા અભિયાનરૂપે કરાયેલી કામગીરીમાં ઉત્તર ગુજરાતના પુરપીડિતો માટે કુલ 50 હજાર રૂપિયા જેવી જંગી રકમ દાન રૂપે મળી છે જે હવે સેવાભારતી મારફતે રાહત સહયામાં મોકલવામાં આવશે.
ટંકારા શાખા પ્રમુખ ડો. જીવાણી સાહેબની અધ્યક્ષતામાં અનેક લોકો જોડાયા હતા તો સમાજસેવી પ્રતિક આચાર્ય રાજ પંડયા, સંજુબાબા. જોષી. હિરેન પટેલ સહિત ના શ્રમયજ્ઞ કરતા જોવા મળ્યા હતા

- text