સેતુબંધ ફાઉન્ડેશન મોરબી દ્વારા માળીયામાં અસરગ્રસ્તોને રાહત સામગ્રી વિતરણ કરાઈ

- text


મોરબી : મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા માળીયાના પૂર અસરગ્રસ્તોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

માળીયામાં પૂરની પરિસ્થિતિ બાદ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા લોકોને મદદ માટે અપીલ કરી કપડાં,અનાજ તેમજ અન્ય ચીજ વસ્તુઓ રાહત-સહાય આપવા જણાવાયું હતું જે ને પગલે મોરબીના સેવાભાવી લોકો દ્વારા ઉદાર હાથે દાનની સરવાણી વહાવવામાં આવતા આજે સેતુબંધ ફાઉન્ડેશને એકત્રિત થયેલી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા રાહત સામગ્રી વિતરણ સમયે કોટન મર્ચન્ટ એસોસીએશનના બેચરભાઈ હોથી,લાયન્સ કલબ મોરબી ક્વીન ક્રિષ્નાબેન પટેલ,સેતુબંધ ફાઉન્ડેશનના કાંતિલાલ બાવરવા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text

- text