લીલાપર પ્રાથમિક શાળાના શિક્ષક ગીતાબેન દેલવાડીયાનો વિદાય સંભારામ યોજાયો

- text


મોરબી : રવાપર સી.આર.સી. અંડર આવતી શ્રી લીલાપર પ્રાથમિક શાળાના આ. શિ. શ્રી ગીતાબેન ભગવાનજીભાઈ દેલવાડીયા તા. ૩૧-૦૭-૨૦૧૭ ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત થતાં શાળામાં જેઓનો વિદાય સન્માન કાર્યક્રમ તા. ૨૦-૦૭-૨૦૧૭ ના રોજ લીલાપર શાળા પરિવાર વતી યોજવામાં આવ્યો જેમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શર્મિલાબેન હુંમલ, સી. આર. સી. કો. ઓ. શ્રી સંદીપભાઈ આદ્રોજા, રવાપર તાલુકા શાળાના આચાર્ય શ્રી હિરેનભાઈ ધોરિયાણી, તથા આ. શિ. શ્રી ફિરોજભાઈ બગથરીયા તેમજ લીલાપર શાળાના આચાર્ય શ્રી નીલેશભાઈ પારેજીયાએ શુભેચ્છાઓ પાઠવી.

- text

શ્રી ગીતાબેન ભગવાનજીભાઈ દેલવાડીયાએ લીલાપર પ્રા. શાળાને 52 ઇંચ LED TV, DVD PLAYER, SONY DIGITAL CAMERA, CANON PRINTER, BRATHORS SCANNER AND PRINTER , તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને ભોજન કરાવી શૈક્ષણિક કીટ ભેટ સ્વરૂપે આપેલ આ ઉપરાંત જેઓ શાળામાં ૨૧-૦૭-૧૯૯૬ ના રોજ લીલાપર પ્રા. શાળામાં હાજર થયા હતા. જેમાં તેઓની સર્વિસ દરમ્યાન ૨૦૧૧ થી ૨૦૧૭ સુધી ધો. ૩ થી ૮ ના વિધાર્થીઓ પરિક્ષામા પ્રથમ, દ્રિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ જેના શિલ્ડના દાતા તેઓ રહેલ. શ્રી લીલાપર પ્રાથમિક શાળા પરિવાર શ્રી ગીતાબેન ભગવાનજીભાઈ દેલવાડીયાને હૃદય પૂર્વક શુભેચ્છાઓ પાઠવી તેમજ કાર્યકમને સફળ બનાવવા શાળા પરિવારે જેહમત ઉઠાવેલ.

- text