હળવદ જૂથ અથડામણમાં મોત ને ભેટેલાં ભરવાડ પ્રૌઢની લાશ સ્વીકારી અંતિમવિધિ કરતા પરિવારજનો

- text


ન્યાયિક તપાસ માટે સીટની રચના બાદ ભરવાડ સમાજ નો ગુસ્સો શાંત પડ્યો : ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમવિધિ

મોરબી : હળવદ જૂથ અથડામણ માં ગઈકાલે અમદાવાદ સારવાર બાદ ત્રીજા ભરવાડ પ્રૌઢનું મૃત્યુ નીપજતાં તેમની લાશ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો બાદ માં સરકારે સમગ્ર મામલે તપાસ માટે સીટની રચના કરતા અંતે લાશનો સ્વીકાર કરી આજે ભરવાડ પ્રૌઢ ની ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક અંતિમવિધિ કરવામાં આવી હતી.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જૂથ અથડામણમાં ઘવાયેલા ખેતાભાઈ નાગજીભાઈ ભરવાડ (ઉ.વ.55) રહે ચિત્રોડી ને વધુ સારવાર અર્થે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખસેડાયા હતા , જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બીજી તરફ તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા સરકાર દ્વારા તાત્કાલિક સીટ મારફતે તપાસ ની ખત્રી આપી સમજાવટ કરતા અંતે મામલો થાળે પડ્યો હતો અને આજે તેમના વતન ખાતે ખેતાભાઈની અંતિમવિધિ કરવામાં આવી હતી.
વધુમાં ખેતભાઈની અંતિમવિધિમાં ભરવાડ સમાજના અગ્રણીઓ મોટા પ્રમાણમાં હાજરી આપતા પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્યથા ગોઠવામાં આવી હતી અને જો કે ભરવાડ સમાજના લોકોએ અંતિમવિધિમાં શાંતિ પૂર્વક વ્યવહાર કરતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

- text

- text