હળવદ જૂથ અથડામણની તપાસ માટે સીટની રચના : પીએસઆઇ ભોજાણી ની બદલી

- text


હળવદ જૂથ અથડામણ ઘટનામાં રેન્જ આઇજી અને બે જિલ્લા પોલીસવડા કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ

મોરબી : હળવદમાં તારીખ 13ના રોજ થયેલી જૂથ અથડામણની ઘટનામાં તલસ્પર્શી તપાસ કરવા રાજ્યના પોલીસ વડા ગિથા જોહરીએ સીટની રચના કરી રાજકોટ રેન્જ આઇજી અને અન્ય બે જિલ્લા પોલીસવડા કક્ષાના અધિકારીઓને સમગ્ર પ્રકરણ ની તપાસ સોંપી છે સાથે સાથે હળવદ પીએસઆઇ ભોજાણી ની તાકીદની અસરે બાદલિકારવા પણ આદેશ થયો છે.
જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા-હળવદ ની ચકચારી ત્રીપલ હત્યા ના બનાવ ની તપાસ તેમજ સ્થાનિક પોલીસ ની લાપરવાહી ના આક્ષેપ ના પગલે રાજય ના ડીજીપી ગિથા જોહરી દ્વારા તપાસ અથેઁ સીટની રચના કરવામાં આવી છે.
વધુમાં આ ધટનામાં રચાયેલી સીટમાં સમગ્ર તપાસ મા ADG મોહન ઝા ની આગેવાની મા રેન્જ આઈજી પટેલ તેમજ ૨ જિલ્લા પોલીસવડા કક્ષા ના અધીકારીઓ ની ટીમ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરી સરકારને અહેવાલ આપશે.
દરમિયાન હળવદ જૂથ અઠડામણ બાદ પોલીસ ની બેદરકારી રાખવાના આરોપો બાદ મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા હળવદ પીએસઆઇ ભોજાણી ની રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં બદલી કરવામાં આવી હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે.

- text

- text