ટંકારા : ઉર્સની ઉજવણીમાં યોજાયેલી કવાલીમાં અમરનાથ યાત્રા પર હુમલો કરનારા નાપાકોને આડે હાથ લીધા

- text


હિન્દુસ્તાન કાશ્મીરની શકલ બદલાવી નાખશે : હિન્દુ મુસ્લિમ તલવારની ધાર છે જે વચ્ચે આવશે એ કપાઈ મરશે : જોરદાર આંતકિ વિરોધ

ટંકારા : હિન્દુ મુસ્લિમ કોમી એકતા ગ્રુપ પ્રતિ વર્ષ ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલી હજરત કાસમમિયા પીરનો ઉર્સની ઉજવણી કરવામાં આવી છે જે આ વર્ષે પણ સોમવારના રોજ સંદલ શરીફ વહેલી સવારે ફઝરની નમાજ બાદ કાર્યક્રમ શરૂ થયો હતો. બાદમાં ચાદર શરીફ સાંજે પાંચ વાગે (ઇસ્માલ ભાઈના ઘરે થી) ન્યાજ શરીફ સાંજે સાત કલાકે આમ નિયાજ રાખેલ. રાતે કવ્વાલીનુ શાનદાર આયોજન કરવામાં આવ્યું જેમા ખાસ હિન્દુસ્તાનના મશહૂર કવાલ જનાબ અનિષ નવાબ કવ્વાલી કશ્મીર પર અમરનાથ યાત્રા પર હુમલો કરનારા નાપાકોને આડે હાથ લઈ દેશ ભક્તિનો સુર રેલાવ્યો હતો અને આડકતરી રીતે પાકિસ્તાનને હિન્દુ મુસ્લિમ તલવારની ધાર ગણાવી વચ્ચે ન આવવા હિમાયત આપી કટકે કટકા થઈ જશે એવુ જણાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સ્ટેજે રોનક, હજરત સૈયદ હાજી, અબ્દુલ કાદિર આલ્મ મિયા (નાગાણી ), હજરત સૈયદ હાજી હનીફ મિયા, ઉસ્માન મિયા (નાગાણી ), હજરત સૈયદ હબીબ મિયા, જિલ્લાની મિયા (કાદરી), હજરત સૈયદ કાદર મિયા, જીવામીયા (કાદરી) તાલુકા પંચાયત પ્રમુખ ભુપતભાઇ ગોધાણી સરપંચ સહિતના હાજર રહ્યા હતા.

- text