હળવદ : માર્કેટિંગ યાર્ડ ખાતે એપી એમસી દ્વારા જીએસટી અંગે માહિતી આપતો સેમિનાર યોજાયો

- text


આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઇ પટેલ, મહેશભાઇ પટેલ કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે હળવદ તાલુકાનાં ખેડૂતો અને વેપારીઓ માટે હાલમાં અમલમાં આવેલ જીએસટીના કાયદાને સમજાવવા માટે એપી એમસી ખાતે સેમિનારનું આયોજન કરેલ હતું. જીએસટીને લગતો કાયદો સમજવો એ અઘરો અને મુંઝવતો પ્રશ્ન છે. ત્યારે તેની સંપૂર્ણ સાચી સરળ માહિતી આ સેમિનારમાં આપી હતી. સાથે સાથે એપી એમસી કર્મચારી મંડળ દ્વારા મહતમ આયોજન કરી સમાજને નવો રાહ ચીંધ્યો હતો. ૫૦૦થી વધુ વૃક્ષો વાવી આ વૃક્ષોનું જતન કરવા માટે કર્મચારીએ નિયમ લીધો હતો. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઇ પટેલ, મહેશભાઇ પટેલ કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વેપારીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

- text