હળવદ : રોટરેક્ટ ક્લબ દ્વારા વૃક્ષારોપણનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો

- text


હળવદના નીલકંઠ મંદિરની બાજુમાં દશનામ ગૌસ્વામી કૈલાસધામ આવેલું છે. જ્યાં ફરતી વાડ, દરવાજા બંધ કમ્પાઉન્ડ અને પાણીની પુષ્કળ સગવડ છે અને છોડને પાણી પીવડાવનારી ટીમ પણ છે. ત્યારે આજ રોજ રોટરેક્ટર ટીમ મેમ્બર્સ દ્વારા જંગલી પ્રકારના ઝાડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં મુખ્ય મહેમાન તરીકે ડો. મયુર કણજરીયા ખાસ હાજર રહ્યા હતા. આ પ્રોજેકટનું ડોનેશન રોટે. રાજેન્દ્રસિંહ રાણા તરફથી આપવામાં આવ્યું હતું. રોટરેક્ટ પ્રેસીડન્ટ મહિપાલસિંહ જાડેજા સેક્રેટરી રજની અઘારા તથા રોટરી પ્રેસીડન્ટ ચીનુભાઈ પટેલ અને સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા ટીમ ઇન્ચાર્જ ડો. પરેશ પરમાર હાજર રહેલા હતા. આ પ્રોજેક્ટને હિતેન અનડકટે સફળ બનાવ્યો હતો.⁠⁠⁠⁠

- text

- text