હળવદ : રોટરી ક્લબ દ્વારા જીએસટી અંગે આજે અવેરનેસ પ્રોગ્રામ યોજાશે

- text


રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નાના તથા મોટા બધા જ ધંધા, ઉદ્યોગ, વહેપારી, સંસ્થાઓને હાલમાં અમલમાં આવેલા જીએસટીનાં કાયદાને સમજાવો સૌથી અઘરો અને મુંજવણનો વિષય બની ગયો છે ત્યારે રોટરી ક્લબે આ સમસ્યાનાં સમાધાન માટે આજ રોજ તારીખ 8 જુલાઈ સાંજે ૪થી ૫.૩૦ વાગ્યા દરમિયાન શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર, તળાવ કાંઠે હળવદમાં જાણીતા સી.એ. જયેશ કે. કારીયાનાં માર્ગદર્શનમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ સેમિનારમાં સી.એ જયેશ કે. કારીયા જીએસટીને લગતા પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ આપશે. આથી રોટરી ક્લબ હળવદ દ્વારા હળવદ શહેરનાં તથા ગ્રામ્ય વિસ્તારનાં દરેક વેપારી મંડળોને આ નિશુક્લ સેમિનારનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

- text