ટંકારા : ધ્રુવનગર ખાતે જગતગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ સુખ શાંતિના આશીર્વાદ આપ્યા

- text


ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ત્રણ દિવસ ધ્રુવનગરના ધ્રુવકુમાર જાડેજાના પેલેસ ખાતે પધરામણી કરી હતી. આ વેળાએ તાલુકાના અનેક લોકોએ ઉપસ્થિત રહીને ઢોલ નગારાના નાદથી ઉમળકા ભેર સ્વામીજીનું સ્વાગત કર્યું હતુ.

- text

આ તકે ટંકારા તાલુકાના ધ્રુવનગર ખાતે પધારેલા દ્વારકાપીઠના આદીગુરૂ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ લોકોને સુખ શાંતિના આશિવઁચન પાઠવ્યા હતા જગદગુરૂ શંકરાચાર્ય ગઈ કાલે સાંજે જામનગર જવા નીકળ્યા હતા અને આજે સાંજે ૬ વાગ્યે દ્વારકા પહોંચશે. જ્યાં ચાતુર્માસ દરમિયાન બે માસ સુધી ભક્તોને દર્શનનો લાભ આપશે સાથે દરરોજ હરિભક્તોને સત્સંગનો લાભ પણ મળશે.
દ્વારકાપીઠના પીઠાધિશ્ર્વર સ્વરૂપાનંદ સરસ્વતીનુ આગમન થતા જ સૌ પ્રથમ રાજવી પરંપરા મુજબ જાડેજા પરિવાર દ્વારા શાહી સન્માન કરીને પોતાના મહેલમા આરતી ઉતારી ચરણપૂજન કરવામાં આવ્યું હતુ. બાદમા તમામ લોકોએ દશઁનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.⁠

 

- text