મોરબી : સિરામિક ટાઇલ્સમાં ૧૦ ટકા સુધીનો ભાવવધારો

- text


જીએસટી અમલી બનતા સિરામિક એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય : ગ્રાહકો પાસેથી ઓર્ડર સાથે જ 30 ટકા એડવાન્સ પેમેન્ટ લેવાશે

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા જીએસટી ટેક્સ અમલી બનતા તમામ પ્રકારની ટાઇલ્સના ભાવમાં 10 ટકા વધારો કરવા નિર્ણય લેવાયો છે અને ભાવ વધારો આજથી જ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે.સાથો-સાથ તમામ સિરામિક ઉદ્યોગકારોને ફરજીયાત બિલમાં જ ધંધો કરવા નક્કી કરાયું છે.
બે દિવસ પહેલા મળેલી સિરામિક એસોસિએશન ની મીટીંગ માં નક્કી થયા મુજબ ગઈકાલે સિરામિક એસો.દ્વારા ટાઇલ્સના ભાવમાં વધારો કરવા નિર્ણય કરી લેખિત જાણકારી એસોસિએશનના તમામ સભ્યોને કરવામાં આવી છે આ નિર્ણય ની સાથે-સાથે એસોસિએશન દ્વારા મહત્વના પાંચ મુદ્દ્દા નો ફરજીયાત પણે અમલ કરવા તમામ સભ્યોને કડક સૂચના આપી છે.
સિરામિક એસોસીએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા,નિલેષભાઈ જેતપરિયા અને પ્રફુલભાઈ દેત્રોજાની સહીથી જારી કરાયેલા પત્ર મુજબ એસો.દ્વારા વોલ,ફ્લોર અને વિટરીફાઇડ ટાઇલ્સ ની તમામ સાઈઝમાં 10 ટકાનો વધારો કરવા નક્કી કરાયું છે. એસો.ના નવા નિયમ મુજબ તમામ સભ્યો માટે વેપારધંધા માટે નવી ગાઈડ લાઈન નક્કી કરી જીએસટી કાયદા મુજબ બિલ બનાવવા, ગ્રાહકો પાસેથી ઓર્ડરની સાથેજ 30 ટકા પેમેન્ટ એડવાન્સમાં લેવું અને ગ્રાહકોને કોઈ પણ પ્રકારનું કમિશન નહિ આપવા નક્કી કરી વધુમાં વધુ 45 દિવસ ની ઉધારીથી જ ધંધો કરવા નો નિયમ તમામ સભ્યો માટે ફરજીયાત કરવામાં આવ્યો છે. આમ જીએસટી અમલમાં આવતા હવે ગ્રાહકોને ટાઇલ્સની વધુ કિંમત ચૂકવવી પડશે.

- text

- text