ઉદ્યોગકારો ગ્રીન ફયુલ તરફ વળે એ માટે સિરામિક એસો.ની ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પો. સાથે મીટીંગ યોજાઈ

- text


મોરબી : આજ રોજ ગાંધીનગરનાં GSPC ભવન ખાતે મોરબીના સિરામિક એસો.ની કમિટીના મેમ્બરો ગ્રીન ફયુલ તરફ મોરબીના ઉદ્યોગકારો આગળ આવે તે માટે ડો.ટી. નટરાજન(IAS) – જોઇન્ટ મેનેજીંગ ડાટરેકટર ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પો. લી.ની સાથે મોરબીના સિરામીક ઉદ્યોગના ગેસને લગતા પ્રશ્નો માટેની મીટીંગ કરેલ હતી. જેમાં ગેસના ભાવ ઘટાડવા તેમજ જીએસટીમાથી ગેસને બાકાત રાખેલ છે તે બાબતો માટે ચર્ચા કરવામાં આવી હતી અને MGOમા પણ એક મહિનો કરવાની તેમજ નવા ઉદ્યોગોને પણ કંઈક અલગ MGOની ફોર્મ્યુલા કરવા વિષે યોગ્ય ઘટતું કરવાની રજુઆત કરવામાં આવી હતી.⁠⁠⁠⁠

- text

 

- text