જડેશ્વર : વડસર તળાવ પાસેનો નવો બનેલો રસ્તો વરસાદમાં ધોવાયો : રોડકામમાં ભ્રષ્ટાચાર

- text


વાંકાનેર તાલુકાથી ૧૧ કિ.મી દૂર આવેલા જડેશ્વર મહાદેવ મંદિર સુધી જવા માટે વચ્ચે આવેલા વડસરનાં તળાવ પાસે થોડા સમય પહેલા રોડ તેમજ નાલા પહોળા કરવાની કામગીરી કરવામાં આવી હતી. હાલમાં પડેલા વરસાદના કારણે વડસરના તળાવની બીજી ગોળાઇમાં રોડ ઉપર મસમોટી તિરાડ પડી ગઈ છે અને રોડ નીચે બેસી ગયો છે. ઉપરાંત રોડની સાઈડમાં પણ તિરાડો પડી જવાથી તંત્રની બેદરકારીને કારણે રોડનું કામ નબળું સાબિત થયું હોય એવું લાગે છે.

- text