મોરબી : ૨ જુલાઈ રવિવારે પુસ્તક પરબ યોજાશે

- text


મોરબીમાં દર મહિનાનાં પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. આ જુલાઈ મહિનાનાં પ્રથમ રવિવાર તા. ૨ જુલાઈનાં રોજ સવારે ૯થી ૧૧.૩૦ વાગ્યા સુધી પુસ્તક પરબનું આયોજન સરદાર બાગ, શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે.  પુસ્તક પરબમાં મોરબીની સાહિત્યપ્રેમી જનતાને પધારવા અને ઉપલબ્ધ પુસ્તકોમાંથી મનગમતું પુસ્તક વાંચવા લઈ જવા નિમંત્રણ પાઠવામાં આવે છે. આ ઉપરાંત પુસ્તક પરબમાં હવેથી અમુક વાચકો દ્વારા પોતે વાંચેલા પુસ્તકોનો ટૂંકો પરિચય તેમજ પુસ્તક અને તેમના લેખક વિશે અવનવી માહિતી આપવામાં આવશે.

- text