વાંકાનેર : જાલીડા ગામે વૃદ્ધએ વ્યાજખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

- text


 

મુર્તકના પુત્રે રાજકોટના ૬ શખ્સો સામે નોધાવી ફરિયાદ : વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના પુત્ર ની ફરિયાદ ના આધારે તાપસ શરૂ કરી

વાંકાનેર : જાલીડાગામેં જેરામભાઇ રામજીભાઇ સરધારા જાતે.પટેલે વ્યાજખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવમાં મૃતકના પુત્ર જયેશભાઇ જેરામભાઇ સરધારા જાતે.પટેલ ઉ.વ.૪૨એ (૧) જયેશભાઇ હીરાભાઇ સાકરીયા પટેલ રહે.રાજકોટ શ્રીરામપાર્ક (૨) બાબુભાઇ પરબતભાઇ વોરા પટેલ રહે.રાજકોટ ધર્મ જીવન સોસાયટી (૩) અંકીતભાઇ રતુભાઇ કમાણી રહે.ન્યુ પોપૈયાવાળી ગોકુલધામ રાજકોટ (૪) હરીશભાઇ પરસાણા પટેલ ઓમ આસ્થા સહકારી મંડણી ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ (૫) મનીષભાઇ પટેલ જે.કે.એન્ટરપ્રાઇઝ ૧૫૦ ફુટ રીંગ રોડ (૬) ભીખાભાઇ પટેલ રહે.કુવાડવા વિરુદ્ધ પોતાના પિતા જેરામભાઇ રામજીભાઇને પોતાના કારખાનામા રૂપીયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી વ્યાજે રૂપીયા લીધેલા હતા અને જાલીડાગામની ખેતીની જમીનનો વ્યાજની અવેજીમા વેચાણ દસ્તાવેજ કરાવી તેમજ અન્ય આરોપીઓએ વ્યાજના રૂપીયા આપવા અવારનવાર દબાણ કરતા હોય અને માનસીક ત્રાસ આપતા જિંદગીથી ખુબજ કંટાળી જંતુનાશક ઝેરી પી પોતાની મેળે ગળે ફાસો ખાય આત્મહત્યા કરી મરણ ગયેલ હોય આરોપીઓએ ફરીયાદીના પિતાને મરી જવા મજબુર કરી ગુન્હો કરવા બાબતે કે.બી.જાડેજા પો.સબ.ઇન્સ વાંકાનેર તાલુકા પો.સ્ટે. આઇ.પી.સી. કલમ ૩૦૬ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text