હડમતિયા : નકલંકધામ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન

- text


સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના ગુરૂદ્વાર અને આસ્થાનું કેન્દ્ર ગણાતા સંત શિરોમણી ગુરૂ શ્રી પ્રેમદાસ બાપુના સાનિધ્યમાં એવા શ્રી નકલંકધામ હડમતિયા મુકામે આગામી ગુરૂપૂર્ણીમાનું ધામધૂમપૂર્વક ઉજવણી આયોજન તા. ૮ અને ૯ જુલાઈનાં રોજ કરવામાં આવ્યું છે. તેમજ ગુરૂપુજન, સંતવાણી તેમજ મહાપ્રસાદ સમસ્ત વરિયા પ્રજાપતિ (નાત)નું ભવ્ય આયોજન કરેલ હોય તો સર્વે વરિયા પ્રજાપતી જ્ઞાતીજનોને ભાવભર્યુ આમંત્રણ મહંતશ્રી મેહુલદાસબાપુ તથા સમસ્ત વરિયા પ્રજાપતી સમાજ⁠⁠⁠⁠ દ્વારા પાઠવવામાં આવ્યું છે.

- text

આ પ્રસંગે ભવ્ય સંતવાણીનું આયોજન પણ તા.૮ જુલાઈ શનિવાર રાત્રે ૯.૦૦ કલાકે કરવામાં આવ્યું છે. જેમાં પરેશભાઈ પ્રજાપતી ( સુરેન્દ્રનગર) ભજનીક, અશ્વિનભાઈ બરાસરા (મોરબી) સાહિત્યકાર ગીતસંગીતની રમજટ બોલાવશે તથા મહાપ્રસાદ તા.૯ જુલાઈ રવિવાર બપોરે ૧૧.૦૦ કલાકે રાખવામાં આવ્યો છે તેવું મહંતશ્રી મેહુલદાસબાપુ તથા સમસ્ત વરિયા પ્રજાપતી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text