મોરબી : ભાજપનાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ જડફિયાની હાજરીમાં પાર્ટી કાર્યકરોની બેઠક યોજાઈ

- text


મોરબી : આજ રોજ ભારતીય જનતા પક્ષ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ જડફિયાની અધ્યક્ષતા મોરબી સરકીટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં મોરબી જિલ્લા પ્રમુખ શ્રીરાઘવજીભાઇ ગડારા, મહામંત્રી હિરેનભાઈ પારેખ, ઘનશ્યામભાઈ, જ્યોતિસિંહ તથા મોરબી જિલ્લા યુવા પ્રમુખ શ્રી રવીભાઈ, મહામંત્રીશ્રી હરદેવસિંહ જાડેજા અને મોરબી જિલ્લા ભાજપ ટિમ તથા બધા મંડળ પ્રમુખ, મહામંત્રી, સેલ મોર્ચા પ્રમુખ મહામંત્રી હાજર રહેલ હતા. જેમાં ૨૯ જુનનાં રોજ પ્રધાનમંત્રી રાજકોટ મુકામે પધારવાના હોય રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ માર્ગદર્શન પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ જડફિયાએ આપેલું હતું.⁠⁠⁠⁠ આ અંગે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે રાજકોટ 29મીના વડાપ્રધાનના કાર્યક્રમને લઈને આ મિટિંગમાં ચર્ચા કરાઈ હતી.મોરબીથી આ કાર્યક્રમમાં 100 બસો અને 170 જેટલા ખાનગી વાહનોમાં 10 હાજર જેટલા કાર્યકરો હાજરી આપવા રાજકોટ જશે.

- text