- text
મોરબી : સ્વ. ભીમજીભાઈ મોતીભાઈ વામજાના સ્મરણાર્થે રામધન આશ્રમ નજીક આવેલી સમર્પણ હોસ્પિટલ ખાતે આજે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ઓર્થોપેડિક, મેડીસીન અને સર્જીકલ વિભાગના દર્દીઓ માટે યોજાયેલા કેમ્પમાં મોરબી ઉપરાંત રાજકોટ, જામનગર અને અમદાવાદના ડોકટરોએ સેવા આપી હતી. નિશુલ્ક નિદાન કેમ્પનો કુલ ૧૩૦ દર્દીઓએ લાભ લીધો હતો.
- text
- text