હળવદમાં જૂનો ખાર રાખી યુવાનનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ

- text


હળવદમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાનનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી વર્ષાબેન સંજયભાઈ રાઠોડ રહે હળવદ તાલુકાના મંગલપુર ગામે રહે છે. તેના પતિ સંજયભાઈ ઈશ્વરભાઈ રાઠોડને ગઈ કાલે જૂનો ખાર રાખીને તેનાજ ગામમાં રહેતા આરોપી દલસુખભાઈ કોળી અને પ્રલ્હાદભાઈ કોળી (ઉ.25) રહે એંજાર અને કોઈ અજાણ્યા સ્ત્રી પુરુષ સંજયભાઈને મંગલપુરથી કારમાં ધાંગધ્રા લઇ જઈ ઢીકા પાટુનો માર માર્યો હતો. પોલીસે આરોપી અને તેના સાથી સામે મદદગારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

- text

- text