મોરબી : અષાઢી બીજની રથયાત્રા અને ઈદની ઉજવણીના સંદર્ભે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ

- text


હિન્દૂ અને મુસ્લિમ આગેવાનોએ મિટિંગમાં શાંતિ અને ભાઈચારાની સાથે તહેવારો ઉજવવાની પોલીસને ખાત્રી આપી

મોરબી : મોરબીમાં અષાઢી બીજના દિવસે રબારી અને ભરવાડ સમાજ દ્વારા ભવ્ય રથયાત્રા અને રમજાન મહિનો પૂરો થતાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ભવ્ય ઉજવણીના આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે બંને ધર્મના તહેવારો શાંતિથી ઉજવાઈ તે માટે પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની મિટિંગ બોલવા માં આવી હતી.
આ મિટિંગમાં ડીવાયએસપી કે.બી.ઝાલાની અધ્યક્ષતામાં મુસ્લિમ અને હિન્દૂ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને બંને ધર્મના તહેવારો મોરબીમાં જે રીતે વર્ષોથી ભાઈચારા સાથે ઉજવાય છે તે રીતે જ શાંતિ અને ભાઈચારના વાતાવરણની વચ્ચે ઉજવવાની ખાતરી આપી હતી.

- text

- text