મોરબી : યોગ દિન નિમિત્તે નર્મદા બાદ ઘર ખાતે ત્રીદિવસીય યોગ શિબિર યોજાઈ

- text


મોરબી : ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આખું વિશ્વ કરી રહ્યું છે. આ નિમિત્તે મોરબીમાં બાળકો માટે સુંદર એક્ટીવીટી કરતી સંસ્થા નર્મદા બળ ઘરમાં ત્રીદિવસીય યોગ શિબિરનું આયોજન તા. ૧૯,૨૦ અને ૨૧ જુન દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૧ ભાઈઓ, બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શિબિરમાં યોગ તજજ્ઞ તરીકે નિર્મળસિંહ જાડેજાએ યોગની સૈદ્વાંતિક માહિતી તેમજ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો પ્રાણાયામ, ધ્યાન કરાવેલા. જેથી શિબિરમાં ભાગ લેનાર અનેક લોકોને ખૂબ જ ફાયદો અનુભવ્યાનાં અભિપ્રાય મળેલા હતા. અંતમાં નર્મદા બાલઘર મોરબીનાં ટ્રસ્ટી શ્રી સી,પી, શાહે સૌનો અભાર વ્યક્ત કર્યો હતો.

 

- text