ટંકારા : અષાઢી બીજે જય ગોપાલ યુવા મંડળ દ્વારા રથયાત્રાનું આયોજન

- text


ટંકારા : ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માની અષાઢી બીજે ભવ્ય રથયાત્રાનુ આયોજન સવારે ૧૦ વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં ધ્વજારોહણ કરી ટંકારાના રાજમાર્ગો પર ભવ્ય રથયાત્રા ફરશે અને બપોરે મહાપ્રસાદ લઈ ગામ આખુ ગોકુળયુ બનશે. જે માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે.

- text

આગામી ૨૫ને રવિવારે ટંકારાના ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માના મંદિરેથી ધ્વજારોહણ કરી રથયાત્રા યોજવાનું જય ગોપાલ યુવા મંડળે નક્કી કર્યું છે. જેમા સવારે ૧૦ વાગ્યે ટંકારાના રાજમાર્ગો પર માલધારી સમાજના ગોવાળોથી ગામ આખુ ગોકુળયુ બની જશે. દેરીનાકા રોડથી રથયાત્રા દયાનંદ સરસ્વતી ચોક ધેટીયા વાસ, લો વાસ, લક્ષ્મી નારાયણ મંદિર સહિતના વિસ્તારોમાં ફરશે અને અંતમાં સમુહ પ્રસાદ પણ યોજાશે⁠.⁠⁠⁠

- text