મોરબીમાં ક્ષત્રિય યુવાનનો ઝેરી દવા પી આપઘાત

- text


પોલીસની હેરાનગતિથી યુવાને પગલું ભર્યાનો પરિવારજનોનો આક્ષેપ : પોલીસે તપાસ શરૂ કરી

મોરબી : નવલખી રોડ પર આવેલા શ્રધ્ધાપાર્કમાં રહેતા દશરથસિંહ કનકસિંહ જાડેજા (ઉ.વ.32) નામના યુવાને આજે પોતાની કારમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
ક્ષત્રિય યુવાન દશરથસિંહ જાડેજા તેના જ રહેણાંક વિસ્તારના મંદિર પાસેથી તેની અલ્ટો કાર નં જીજે ૨૩ એચ ૭૦૦૮માં દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો જેને તુરંત સિવિલ હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ આ મામલે મુર્તક યુવાન ગત માસે દારૂના કેસમાં પકડાયેલો હોય જે બાબતે એલસીબીના કર્મચારીઓ તેની પાસેથી રૂપિયાની માંગણી કરી પરેશાન કરતા હોય જેનાથી કંટાળી જઈને યુવાને આ પગલું ભર્યાના આક્ષેપ કર્યો છે. આ અબતેં બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી યુવાનનાં આપઘાત પાછળનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જયારે યુવાનના મોતને પગલે ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પીટલે દોડી ગયા હતા.

- text