હળવદ : યૂવાનોએ ગાયોની સેવા માટે નિસ્વાર્થભાવે સુંદરકાંડ પાઠનું આયોજન કર્યુ

- text


હળવદ : હળવદનાં ૩૫ યુવાનોએ મોબાઇલમાં ફેસબુક, વોટ્સે એપમાં મશગુલ રહેવાને બદલે ગાયોની સેવા માટે નિસ્વાર્થ ભાવે સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું છે. હળવદના યુવા સ્વ.જીજ્ઞેશ રાવલનાં જન્મદિવસ નિમિત્તે સુંદરકાંડ પાઠ પરિવાર ૨૩૨માં સુંદરકાંડ પાઠનું સમૂહ ગાન કર્યું હતું. આ પાઠમાં આવતી તમામ રકમો ગાયોની સેવામાં નિસ્વાર્થ ભાવે વાપરવામાં આવે છે. ચિતરાંગભાઈ ઠાકર, મહેશભાઇ ઠક્કર, મિસ્ત્રી, મયૂરભાઈ મહેતા, પરેશભાઈ અને જતિનભાઇએ સુંદર મજાનાં સંગતિમય શૈલીમાં સુંદરકાંડના પાઠ કરે છે. એક પણ રૂપિયો લીધા વગર પાઠ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

- text