ટંકારા નજીક બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વધુ એક ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત

- text


પીતાંબરભાઈ પરસોતમભાઈ વાહણેશિયા(પ્રજાપતિ)એ સારવાર દરમિયાન દમ તોડ્યો

ટંકારા : રવિવારે મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા લતીપર ચોકડી નજીક રાજકોટ તરફ એચપી પેટ્રોલ પમ્પ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રજાપતિ પરિવારના મોભીનું મુત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય 5 લોકો ને ગંભીર ઇજા થતાં પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન આજે વધુ એક ઇજાગ્રસ્તનું મુત્યુ નીપજ્યું હતું.

- text

ADVT.

રવિવારે સાંજે ટંકારાના જીવાપર ગામેથી પ્રજાપતિ પરિવાર મારુતિ ફ્રેન્ટી કારમાં ટંકારા પરત આવી રહ્યો હતો. ત્યારે ટંકારા નજીક સામેથી આવતી સ્વીફ્ટ કાર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા મારુતિ ફ્રેન્ટી કારમા સવાર ટંકારના મહેન્દ્રપુર ગામના દેવજીભાઈ રુગનાથભાઈ નારણીયા (પ્રજાપતિ)નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા પીતાંબરભાઈ પરસોતમભાઈ વાહણેશિયા (પ્રજાપતિ), રામણિકભાઈ ઓધવજીભાઈ નારણીયા (પ્રજાપતિ), ગૌરીબેન ઓધવજીભાઇ નારણીયા (પ્રજાપતિ), છગનભાઇ નરશીભાઈ પ્રજાપતિ અને આશિષ મનસુખભાઇ રાજકોટિયાને ગંભીર ઇજા થતાં તેમને પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જેમાં આજે રાજકોટ સારવાર દરમિયાન પીતાંબરભાઈ પરસોતમભાઈ વાહણેશિયા (પ્રજાપતિ) ઉ.57 રહે જેતપરડા (વાંકાનેર) વાળાનું મુત્યુ નીપજ્યું હતું. આ અક્સમાતમાં વરિયા પ્રજાપતિ સમાજના બે આધેડના મુત્યુથી પ્રજાપતિ સમાજમાં ઘેરાશોકની લાગણી છવાઈ ગઈ હતી.

- text