મોરબી : ૧૮ જુને સ્કાયમોલમાં રક્તદાન કેમ્પનું આયોજન

- text


થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓ માટે મહા રક્તદાન કેમ્પમાં જોડાઈ શ્રેષ્ઠદાન રક્તદાન કરવા સેવાભાવી લોકોને અપીલ

મોરબી : સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીનાં સ્મરણાર્થે થેલેસીમિયાનાં દર્દીઓ માટે મહા રક્તદાન કેમ્પનું આયોજન તા. ૧૮ જુન રવિવારે સ્કાય મોલ, શનાળા રોડ ખાતે સવારે ૯થી સાંજે ૪ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં ‘થેલેસીમિયા ગ્રસ્ત દર્દીઓને કાજ રક્તદાન કરીએ આજ’નાં સૂત્રથી સૌ મોરબીવાસીઓને રક્તદાન કરી સેવાકીય પ્રવૃત્તિનાં ભાગરૂપે શ્રેષ્ઠદાન કરવા અશ્વિનભાઈ દફતરી મો.નં. ૯૩૭૪૮૧૭૨૩૧, વિક્રમભાઈ દફતરી મો.નં. ૯૮૨૫૫૫૩૯૦૩, પરેશભાઈ મહેતા મો.નં. ૯૮૭૯૫૪૦૨૮૧ અને ડેનીશ દફતરી મો.નં. ૯૧૭૩૧૩૨૯૦૩ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text