મોરબી : ગેરકાયદે બાંધકામ કરનાર આસમીઓને નોટિસ ફટકારતું મવડા

- text


નવાડેલા રોડ પર મવડાની નોટિસનો ઉલાડીયો કરનારને બાંધકામ અટકાવી દેવા આદેશ

મોરબી શહેરમાં પ્લાન મંજુર કરાવ્યા વગર નીતિનિયમો નેવે મૂકી બાંધકામ કરનારાઓને અને મવડાએ નમૂના (ચ) મુજબ નોટિસ ફટકારવાનું શરુ કર્યું છે. જેના ભાગ સ્વરૂપે નવડેલા રોડ પર ગેરકાયદે બાંધકામ બંધ કરવા મનાઈ હુકમ ફરમાવાયો ર્હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી અપડેટને મવડાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં ગેરકાયદેસર બાંધકામ અંગે ફરિયાદ મળ્યા બાદ મવડા દ્વારા ભગવતીપરા મેઇન રોડ, નવાડેલા રોડના ગેરકાયદેસર બાંધકામ સબબ મિલ્કત અસામીઓને શહેરી વિકાસ અધિનિયમ મુજબ નમૂના (ચ)ની નોટિસ ફટકારવામાં આવી છે. આ દરમિયાન નવાડેલા રોડ પર સેવક હેર ડ્રેસર દુકાનની બાજુમાં થતા બાંધકામને નોટિસ ફટકારવા છતાં બાંધકામ ચાલુ રખાયું હોવાનું મવડાના ધ્યાને આવતા મિલ્કત ધારકને બાંધકામ અટકાવી દેવા મનાઈ હુકમની નોટિસ ફટકારવામાં આવનાર હોવાનું ઇન્ચાર્જ મામલતદાર નિખિલભાઈ જોશીએ જણાવ્યું હતું.⁠⁠⁠⁠

- text

- text