- text
મોરબીના જેલ ચોક રહેવાસી શંકરભાઈ રતનાભાઇ પરમાર (ઉ.૫૬) દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે, તેમની દીકરી વનીતા પરમાર (ઉ.૨૧) વાજેપારમાં રહેતા નલીન મોહન કન્ઝારીયા સાથે કોઈને કીધા વગર ઘરથી જતી રહી હતી. આ ઉપરાંત દીકરી વનીતા પોતાના ધરમાંથી રોકડ ૨૫૦૦ તથા સોનાનો હાર-બુટી કિંમત રૂપિયા ૧૨૫૦૦૦ની મત્તાની ચોરી કરી ગયેલ છે. તથા આરોપી નલીન કન્ઝારીયા સાથે કોર્ટ મેરેજ કરું લીધા છે. આથી પિતા શંકરભાઈ પરમારે દીકરી વનીતા અને નલીન કન્ઝારીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ આગળ ચલાવી છે.
- text
- text