મોરબી : ૩૦ જુન સુધી જિલ્લામાં હથીયારબંધી અને મંજુરી વિના ચાર કરતા વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ

- text


વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામા અમલમાં મૂકયા

મોરબી : ચાલુ માસમાં મોરબી જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવતા હોય જેને ધ્યાને લઇ આ સમય દરમિયાન મોરબી જિલ્લા વિસ્તારમાં કાયદો, વ્યવસ્થા, જાહેર સુલેહ, શાંતિ અને સલામતી જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે પી.જી.પટેલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧)થી મળેલ સત્તાની રુએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ૩૦/૦૬/૨૦૧૭ સુધી હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ઘકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવાનું, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવાનું તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવાનું તથા બતાવવાનું અથવા ફેલાવો કરવા પર પ્રતીબંધ ફરમાવેલ છે.
જો કે, આ હુકમ (૧) સરકારી નોકર કે કામ કરતી વ્યકિત કે જેને તેમના ઉચ્ચ અધિકારીએ કોઇપણ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય. (૨) વૃધ્ધો તથા અશકતો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય. (૩) સક્ષમ સતાધિકારીશ્રી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યકિતઓને લાગુ પડતો નથી. આ સિવાયની વ્યક્તિઓ દ્વારા આ જાહેરનામાંનાં કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લધન કરનારને સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ ઉપરાંત ચાલુ માસમા જુદા-જુદા સમાજના વિવિધ હોદેદારો રાજ્યભરમાં પ્રવાસ કરી રહેલ હોય તેમજ જુદા-જુદા સમાજના લોકો એકઠા થઇ જાહેર સભા, રેલીઓનું આયોજન કરતા હોય તેમજ વિવિધ સંવર્ગના કર્મચારીઓ દ્રારા સરકારશ્રી સમક્ષ જુદા-જુદા પ્રશ્ર્નોની રજુઆત અન્વયે કાયદો વ્યવસ્થાનો કોઇ પ્રશ્ર્ન ઉદભવીત ન થાય તે સારૂ તેમજ આમજનતા દ્રારા નગરપાલીકા તથા કલેકટર કચેરી ખાતે સરઘસ અને આવેદનપત્ર આવે તેવી શકયતાઓ નકારી ન શકાય જેથી મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પી.જી.પટેલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) થી મળેલ અધિકારની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦/૦૬/૨૦૧૭ સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.
જો કે, આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને લાગુ પડતો નથી. આ સિવાય આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ શિક્ષાપાત્ર થશે.⁠

- text

- text