આવકવેરા વિભાગ સાથે સીરામીક ઉદ્યોગકારોની મિટિંગ યોજાઈ

- text


ઉદ્યોગકારોને એડવાન્સ ટેક્ષ ભરવાની અપીલ કરાઈ

મોરબી : મોરબી સિરામિક એસોસિયેશનની ઓફિસ ખાતે સેમિનાર હોલમાં આજ રોજ સાંજે 5:00 કલાકે આવક વેરા વિભાગના આધિકારીઓ સાથે ઉદ્યોગકારોની એક ખાસ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ મિટિંગમાં એડવાન્સ ટેક્સ ભરવા માટે ઉદ્યોગકારોને અપીલ કરવામાં આવી હતી અને એડવાન્સ ટેક્સ ભરાવાથી થતા ફાયદા અંગે આવક વેરા વિભાગના આધિકારીઓએ વિસ્તૃત માહિતી આપી હતી. આ અંગે મોરબી ફ્લોર ટાઇલ્સ એસોસિયેશનના પ્રમુખ પ્રફુલભાઇ દેત્રોજાએ જણાવ્યું હતું કે આ સેમિનારમાં એડવાન્સ ટેક્સ ભરવા બાબતે વિગતવાર ચર્ચા કરાયા બાદ આવક વેરા વિભાગના આધિકારીઓ દ્વારા આવક વેરાને લગતા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી.

- text