હળવદ : દિવ્યાંગ સમૂહલગ્નમાં ૧૧ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા

- text


ચલો બસાયે ઘર દિવ્યાંગો કા.. નવજીવન વિકલાંગ સેવાશ્રયનું ભવ્ય આયોજન

હળવદમાં નવજીવન સેવા ટ્રસ્ટ દ્વારા સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું ચલો બસાયે ઘર દિવ્યાંગો કા નેજા હેઠળ ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી જુદા-જુદા ૧૧ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ તમામ નવ દંપતિઓએ સૌ પ્રથમ જીવનસાથીમેળામાં પસંદગી કરી હતી. જેના પરિણામ સ્વરૂપે ૧૧ દિવ્યાંગ ભએઓ-બહેનોના સમૂહલગ્ન યોજાયા હતા. આ પ્રસંગે કનીરામ દાસજી મહારાજ, સંતોમહંતો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત દાતાશ્રીઓ તરફથી નવવઘુઓને ઘરવખરી પણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિરજીભાઈ, જીતેન્દ્રભાઈ જોશી, વિજયભાઈ, મયુરભાઈ, રસીલાબેન, ચેતનાબેન વગેરે નવજીવન ટ્રસ્ટ હળવદ અને ભચાઉનાં ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text