વાંકાનેર : સિંદાવદર પ્રા.શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

- text


વાંકાનેર : સિંદાવદર ગામની પ્રા.શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. જેમાં ૮૦ બાળકોએ શાળા પ્રવેશોત્સવ કર્યો હતો. આ તબક્કે શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા લોકમેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સિંદાવદર પ્રા.શાળાનાં પ્રવેશોત્સવમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી હિરેન પારેખ, યુવા મહામંત્રી હરદેવ સિંહ, જિલ્લા પંચાયત માજી ઉપપ્રમુખ યુસુફ સેરસીયા, ડે. કલેક્ટર મુછાર તેમજ બાબા સ્વામી આશ્રમના વડા સાહેબ સહિત શાળા આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text