ટંકારા : દલિતો-મુસ્લિમોને થતા અત્યાચાર બંધ કરવા આવેદન

- text


ગૌહત્યા અને ગૌમાંસનાં ગુન્હામાં દલિતો અને મુસ્લિમોને ખોટી રીતે ટાર્ગેટ કરી આરોપી બનાવતા અન્યાય સામે પગલા લેવા કલેક્ટરને રજૂઆત

ટંકારા : ગુજરાત સહિત દેશભરમાં દલિતો અને મુસ્લિમ સમાજ પર થતા અત્યાચાર બાબતે મામલતદાર ટંકારાને બહુજન સમાજ પાર્ટી દ્વાર આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા ફરી માંગ કરવામાં આવી છે. આ આવેદનમાં ગૌહત્યા બાબતે ટીપ્પણી કરતા જણાવ્યુ હતુ કે, ભારત અત્યારે ગૌમાસની નિકાસ કરવામાં સૌથી વધુ અગ્રેસર છે. ત્યારે બહુજન સમાજ પાર્ટીના પ્રવિણ આર. ચૌહાણ સહિતના કાર્યકરો મામલતદાર ટંકારાને દલિત અને મુસ્લિમ સમાજ પર અત્યાચાર બાબતે આવેદન પાઠવી ખોટી હેરાનગતિ થતી અટકે તે દિશામાં કામ કરવા માંગણી કરવામા આવી હતી. જેમા દલીત અને મુસ્લિમ સહિતની જ્ઞાતીને ગાય અને ગૌમાંસ હત્યામાં ટાર્ગેટ કરી ખોટા આરોપી બનાવી હેરાન કરે છે, જે ખોટુ છે. ભારત આજે ગૌ માંસની નીકાસ કરવા માટે પ્રથમ નંબર પર છે ત્યારે તમે શું કરો છો તેવા આરોપ આ આવેદનમાં કર્યા હતા અને દલિત તથા મુસ્લિમ સમાજને થતા અન્યાય સામે ન્યાયની માંગ દોહરાવી હતી.

- text

- text